MENU

Fun & Interesting

ચારણ જગદંબા કોને કહેવાય? ll આઈ રૂપલ માં ll DEVAYT KAHAVAD ll RUPALMADHAM (Gir) - 004

rupal ma dham Official 88,412 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

#rupalmadham
#devayatkhavad

આપ નિહાળી રહિયા છો રામપરા (ગીર) આઇશ્રી રૂપલમાં 22-મો પાટોત્સવ તેમજ પ્રથમ સમૂહ લગન - 09-04-2022..રામપરા (ગીર) તા. વિસાવદર, જિ. જુનાગઢ મો. 9099567272
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ગીરના ખોળામાં રામપરા ગામ, જેમાં ચારણ સમાજના ચારણ ધાનબાઈ નાં ખોળે તેમજ આલસુર આપાના નેહડે તા. ૧૪.૦૮.૧૯૯૦ ને શ્રાવણ વદ - ૮ ને મંગળવાર ના રોજ આઇશ્રી નાગબાઈનાં ઉપાસક એવા જગદંબા સ્વરૂપે આઈશ્રી રૂપલમાં આ પાવનભૂમિ પર અવતર્યા. માત્ર ૧૦ વર્ષની ઉમરે જ ચારણ સમાજની પરંપરા મુજબ તા. ૧૫.૦૪.૨૦૦૧ ને ચૈત્ર વદ - ૭ (સાતમ) ને રવિવારનાં દિવસે ચારણોનાં સાડા ત્રણ પહાડાનું સંમેલન તથા નવચંડી યજ્ઞનું પણ ભવ્ય આયોજન કર્યું. છેલ્લા વીસ વર્ષથી અન્નક્ષેત્ર અને ગૌશાળા પણ કાર્યરત છે.
: આઈમાંની કૃપા :આઈશ્રી રૂપલમાંનાં દર્શન કરતા ભક્તજનોના જીવનમાં પ્રકાશ પથરાય છે આ ધામમાં કોઈપણ પ્રકારનો જ્ઞાતિજાતી કે ધર્મના નામે ભેદભાવ જોવા મળતો નથી.આઈમાં દરેક ભક્તો પ્રત્યે સમદ્રષ્ટી રાખે છે.ચારણ સમાજમાં નવ લાખ લોબડીયાળીઓમાં આઈશ્રી રૂપલમાંએ કળિયુગમાં ઘણા પારણાં બંધાવ્યા છે તેમજ ભક્ત જનોની મનોકામના પૂર્ણ કરી છે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી એટલેજ કે આઈમાં દોરા - ધાગા, ધુણવા કે અંધશ્રદ્ધામાં માનતા નથી
આઈશ્રી રૂપલમાંને આધ્યાત્મિક પર્વો અને પ્રસંગો ખુબજ પ્રિય છે
જેઓ વિશ્વકલ્યાણઅર્થે આવા ધાર્મિક પ્રસંગો ઉજવે છે.

Comment