#krishna #story #gujarati
રામ મોરી - ગુજરાતી ભાષાનું, ગુજરાતી સાહિત્યનું એક એવું અદ્ભુત, સુંદર, પ્રભાવશાળી નામ છે કે જેમણે પોતાની કલમથી, શબ્દોથી દરેક ગુજરાતીને ઘેલું લગાડેલ છે. તેમની લિખિત ફિલ્મો, નાટકો, પુસ્તકોના તો સૌ કોઈ ચાહક છે અને સાથે સાથે તેમની બોલવાની, સંવાદ સાધવાની રીત પણ જાદુઈ છે. તાજેતરમાં જ તેમની લિખિત પુસ્તક 'સત્યભામા' પ્રકાશિત થઇ છે. 'સત્યભામા', શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાંના એક છે અને આમ ખૂબ જ પ્રચલિત નામ પણ આમ ક્યાંય એમની કથા, એમની વાત લોકોને બહુ ખબર નથી. તે વાતને, તે કથાને રામ મોરીએ પ્રસ્તુત કરી છે આ નવલકથામાં. અત્યંત સુંદર વર્ણનો, અદ્ભુત કથાપ્રયોગો અને સંવાદો આ નવલકથા ધરાવે છે.
આ નવલકથા પાછળની પણ વાર્તા બહુ રસપ્રદ અને જાણવા જેવી છે. કઈ રીતે તેઓ 'સત્યભામા' સુધી પહોંચ્યા? શ્રીકૃષ્ણની જુદી જુદી લીલાઓ, શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ, દ્વારિકા નગરી વિશે તેમણે આ પોડકાસ્ટમાં વાત કરી છે. શું ખરેખર દ્વારિકા સોનાની હતી? રાધાજી અને શ્રીકૃષ્ણના વિવાહ કેમ ન થઇ શક્યા? સાંભળો આ બધી જ વાતોને અહીં રામ મોરી સાથેના પોડકાસ્ટમાં અને તેમની લિખિત નવલકથા 'સત્યભામા' વાંચવાનું ચૂકતા નહીં!
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : https://www.facebook.com/JalsoMusic
Instagram : https://www.instagram.com/jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
05:38 - 'સત્યભામા' સુધી આપ કઈ રીતે પહોંચ્યા?
13:00 - પુરાણોમાં, શાસ્ત્રોમાં અને સાહિત્યમાં 'સત્યભામા' કઈ રીતે વણાયેલું-વર્ણવાયેલું છે?
20:40 - રામ મોરીએ કેમ 'સત્યભામા'ને એક ગર્વિષ્ઠ નારી તરીકે વર્ણવી?
25:00 - પાત્રોને વર્ણવવામાં શું તકલીફો પડી?
34:00 - રાધા અને કૃષ્ણ કેમ ન પરણી શક્યા?
44:45 - પ્રેમ પ્રસંગો વર્ણવવામાં શું તકલીફો પડી?
51:30 - સ્યમંતક મણિ એ શું છે?
55:10 - સોનાની દ્વારિકા મળી?
57:20 - દ્રોપદી અને કૃષ્ણના સંબંધો
01:05:00 - શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ વિશે
01:11:00 - શ્રીકૃષ્ણની સોળ હજાર રાણીઓની વાર્તા
01:15:25 - બહુપત્નીત્વ અને બહુપતિત્વ ની વાત
01:17:40 - 'સત્યભામા' લખવાથી તમારા જીવનમાં શું બદલાયું?
01:22:00 - 'સત્યભામા' લોકોને કઈ રીતે કનેક્ટ કરશે?
#podcast #interview #writer #author #books #booklaunch #satyabhama #krishnalove